બરોડા જિલ્લા ના ડભોઇ તાલુકા માં પીવાના પાણી, ગટર લાઈન ની સમસ્યા

ડભોઈ,

બરોડા જિલ્લા ના ડભોઇ તાલુકા માં આવેલા વિજય ભાઈ બારીયા ના દવાખાના ની પાસે બાબા રામદેવ મંદિર પાસે અઘોર તંત્ર દ્વારા કોઈપણ ગટર લાઈન સાફ કરવામાં આવતી નથી. છેલ્લા દસ દિવસ થી ગટર લાઈન માટે વારંવાર રજુવાત કરવા છતાં કોઈ પણ નિર્ણય લેવાયેલ નથી અને જો રોગચારો ભવિષ્યમાં ફાટી નીકળશે એની જવાબદારી કોની રહેશે અત્યારે વારંવાર રજૂઆત કરતા છતાંય તંત્ર દ્વારા કોઈ પણ એક્સન લેવાયેલ નથી ગટર ની હાલત જોય ને એમ લાગી રહ્યું છે કે તંત્ર નિદ્રા માં હોય મહામારી ના રૂપમાં લોકો સપડાયા છે.

છતાંય કોઈ તંત્ર પગલાં લેતું નથી બાબા રામદેવપીરના મંદિર સવાર-સાંજ આરતીના સમયે ગટર ઉભરાય છે અને એટલી બધી ગંદકી થાય છે. ભક્તોને અવર જવર માં તકલીફ પડે છે માટે યોગ્ય રજૂઆત કરવા છતાં કોઈ આવતું નથી પીવાના પાણી ગટર લાઈન એક થઈ ગઈ છે તે પણ રજૂઆત કરવા છતાં કોઈ તંત્ર એક્શન લે તું નહીં.

રિપોર્ટર : હુસેનભાઇ મનસુરી, ડભોઈ

Related posts

Leave a Comment